Connect with us

CRICKET

IND vs PAK: કોમેન્ટેટર્સ અને પૂર્વ ક્રિકેટરો વચ્ચે વિભિન્ન પ્રતિસાદ

Published

on

IND vs PAK

IND vs PAK: એશિયા કપમાં ભારત-પાકિસ્તાનના મેચ અંગે દિગ્ગજોએ શું કહ્યું?

IND vs PAK: ક્રિકેટ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવા અંગે લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ છે. જાણો ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો આ વિશે શું વિચારે છે.

IND vs PAK: ક્રિકેટ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, અને બંને ટીમો વચ્ચે 14 સપ્ટેમ્બરે મેચ યોજાનાર છે. આ મુદ્દે ભારતીય ફેન્સમાં ક્રોધ જોવા મળ્યો છે, જોકે કેટલાક લોકો તેનો સમર્થન પણ કરી રહ્યા છે. ભારતના પૂર્વ ક્રિકેટરોની પણ આ મુદ્દે જુદી જુદી રજૂઆત છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનાં હેડ કોચ ગૌતમ ગંભીરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પોતે આ નિર્ણયના વિરોધમાં વાત કરે છે.

એશિયા કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચને લઈને ગુસ્સો શા માટે છે?

22 એપ્રિલે પહેલગામમાં એક આતંકી હુમલો થયો હતો. આ હુમલાના આતંકવાદીઓના Pakistan સાથે સંબંધ હોવાનું ખુલતાં, ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરવામાં આવી. ત્યાંથી પણ ડ્રોન હુમલાઓ થયા, જેને ભારતીય સેના દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા.

IND vs PAK

આ તમામ ઘટનાઓના પગલે સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષ વધી ગયો અને લોકોએ માંગ ઉઠાવી કે આપણે આ આતંકી દેશ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો જોઈએ નહીં – અહીં સુધી કે ક્રિકેટ મેચ પણ નહીં રમવી જોઈએ.

ભારત સરકારે પણ પગલાં તરીકે પાકિસ્તાનના ઘણા દિગ્ગજ ક્રિકેટરોના YouTube ચેનલ અને સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ ભારતમાં બેન કરી દીધા. એ પછી એવી ખબર આવી હતી કે ભારત એશિયા કપમાંથી બહાર થઈ શકે છે. પરંતુ થોડા દિવસો પહેલાં ટૂર્નામેન્ટનો અધિકૃત શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યો, જેમાં પુષ્ટિ થઈ કે ભારત અને પાકિસ્તાન ન માત્ર ટૂર્નામેન્ટમાં રમશે, પણ બંને એક જ ગ્રુપમાં સામેલ છે.

ભારત-પાકિસ્તાન મેચના સમર્થનમાં સૌરવ ગાંગુલી

ભારતના પૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ ભારત અને પાકિસ્તાનના એક જ ગ્રુપમાં સમાવિષ્ટ થવા અંગે ANI સાથે વાત કરતા કહ્યું:
“મારા મત પ્રમાણે આ યોગ્ય છે, રમત ચાલુ રહેવી જોઈએ. પહેલગામમાં જે થયું એ નહિ થવું જોઈએ. આતંકવાદ સમાપ્ત થવો જોઈએ, ભારતે પણ આ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. પરંતુ રમત ચાલુ રહેવી જોઈએ.”

IND vs PAK

એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ અંગે મોહમ્મદ અઝહરુદ્દીન શું કહ્યું?

મિડીયા સાથે વાત કરતી વખતે ભારતના પૂર્વ કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું:
“હું હંમેશા કહી રહ્યો છું કે જો મેચ રમવી છે તો પછી જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં રમો. પરંતુ જો રમવી નથી, તો પછી કોઈ પણ ટૂર્નામેન્ટમાં ન રમો. જો તમે દ્વિપક્ષીય શ્રેણીમાં એકબીજાની સામે નથી રમતા, તો પછી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પણ નહીં રમવું જોઈએ. જોકે સરકાર અને બોર્ડ જે નિર્ણય કરશે, એ જ અમલમાં આવશે.”

ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ અંગે ગૌતમ ગંભીરનું નિવેદન વાયરલ

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે રવાના થતા પહેલા, ગૌતમ ગંભીર એબીપીના શોમાં આવ્યા હતા, જ્યાં તેમણે કહ્યું હતું કે મારા મતે પાકિસ્તાન સાથે કોઈ મેચ ન હોવી જોઈએ. તેનો વીડિયો ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, “કોઈ પણ ક્રિકેટ મેચ, બોલિવૂડ ફિલ્મ, કોઈ પણ અભિનેતા કે કોઈ પણ વ્યક્તિ આપણા દેશના લોકો અને સેનાના સૈનિકોના જીવન કરતાં વધુ મહત્વપૂર્ણ નથી. મારો અંગત અભિપ્રાય છે કે જ્યાં સુધી આ બધું સંપૂર્ણપણે સમાપ્ત ન થાય ત્યાં સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે કંઈ થવું જોઈએ નહીં.”

આ દરમિયાન તેમણે કહ્યું કે કંઈ મારા હાથમાં નથી, આ બોર્ડનો નિર્ણય હશે. તેના બદલે તે સરકારનો નિર્ણય હશે અને બોર્ડ અને સરકાર જે પણ નિર્ણય લેશે, અમે તેને સ્વીકારીશું. અમે એમ નહીં કહીએ કે ક્રિકેટ શરૂ થવું જોઈએ.

IND vs PAK

એશિયા કપમાં ત્રણ વખત 3 વાર ટકરાઈ શકે છે  ભારત-પાકિસ્તાન

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એક મેચ તો 14 સપ્ટેમ્બરે નિશ્ચિત છે, કારણ કે બંને ટીમો એક જ ગ્રુપમાં છે. ફોર્મેટ અનુસાર ગ્રુપ સ્ટેજ પછી સુપર 4 રાઉન્ડ હશે, જેમાં દરેક ગ્રુપની ટોપ 2 ટીમો પહોંચશે. અહીં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ થવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે, કારણ કે બંને પોતાના ગ્રુપની સૌથી મજબૂત ટીમો ગણાય છે.

જો ફાઇનલમાં પણ આ બંને ટીમો સામસામે આવે, તો સપ્ટેમ્બર મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ જોવા મળી શકે છે.

CRICKET

LSG Bowling coach: જહીર ખાનની જગ્યાએ બૉલિંગ કોચ તરીકે ભરત અરુણની એન્ટ્રી

Published

on

LSG Bowling coach: LSG માં કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર

LSG Bowling coach: લખનૌ સુપર જાયન્ટ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે ભરત અરુણને તેમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

LSG Bowling coach: લખનૌ સુપર જાયન્ટ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગના આવનારા સીઝન માટે ભરત અરુણને પોતાની બૉલિંગ કોચ તરીકે નિમ્યા છે. ભારતના પૂર્વ ઝડપી બોલર ભરત અરુણ, જેમને હાલના શક્તિશાળી બોલિંગ એટેક તૈયાર કરવાનું શ્રેય આપવામાં આવે છે, તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સની 2024ની ચેમ્પિયન ટીમનો પણ ભાગ રહ્યા હતા.

KKR સાથે સફળ કારકિર્દી બાદ હવે તેઓ LSG સાથે જોડાયા છે. તેઓ 2022 સીઝનથી KKR સાથે જોડાયેલા હતા. જો કે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. ફ્રેન્ચાઈઝીના નજીકના સ્ત્રોતે પીટીઆઈને નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે, “અરુણ હવે એલએસજીમાં જોડાઈ ગયા છે અને જલ્દી સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે.”

LSG Bowling coach

રિપોર્ટ્સ અનુસાર ભરત અરુણે સંજીવ ગોયંકાની માલિકીની ટીમ LSG સાથે બે વર્ષ માટે કરાર કર્યો છે. આ કરાર હેઠળ તેમને આખું વર્ષ LSGના ખેલાડીઓ સાથે કામ કરવું પડશે. 2024માં કોલકાતા નાઈટ રાઇડર્સના આઠમા સ્થાન પર રહી જવાથી શાહરુખ ખાનની માલિકીની તે ફ્રેંચાઈઝી હવે પોતાના કોચિંગ સ્ટાફમાં બદલાવ કરી રહી છે. તેવી જ રીતે, ગયા સીઝનમાં સાતમા સ્થાન પર રહેલી LSG પણ હવે પોતાના સહાયક સ્ટાફમાં ફેરફાર કરી રહી છે.

ભરત અરુણના આગમન પછી LSG તેના ‘માર્ગદર્શક’ ઝહીર ખાન સાથેનો કરાર લંબાવશે કે કેમ તે અંગે પણ માહિતીની રાહ જોવાઈ રહી છે. પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો LSG ઝહીર ખાન સાથે ચાલુ રહે તેવી શક્યતા ઓછી છે.

LSG Bowling coach

Continue Reading

CRICKET

Ben Stokes Injury: બેન સ્ટોક્સે પોતાની ટીમ માટે વ્યક્ત કર્યો ખાસ સંદેશ

Published

on

Ben Stokes Injury

Ben Stokes Injury: ઈજાગ્રસ્ત બેન સ્ટોક્સે અંતિમ ટેસ્ટ પહેલા વ્યક્ત કરી પહેલી પ્રતિક્રિયા

Ben Stokes Injury: બેન સ્ટોક્સ ઇજાને કારણે ભારત સામેના પાંચમા અને છેલ્લાં ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમમાંથી બહાર થઈ ગયા છે અને પોતાની ઈજા અંગે તેમણે નિવેદન આપ્યું છે.

Continue Reading

CRICKET

IND VS PAK: ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો, સેમિફાઇનલ મેચ અનિશ્ચિત

Published

on

IND VS PAK

IND VS PAK સેમિફાઇનલ મેચનું ભાગ્ય અંધકારમાં લટક્યું

IND VS PAK: ઈન્ડિયા ચેમ્પિયન્સે ગુરુવારે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. આ પહેલા ભારતીય ખેલાડીઓએ લીગ સ્ટેજમાં પણ પાકિસ્તાન સામે એક પણ મેચ રમી ન હતી.

IND VS PAK: ઇંગ્લેન્ડમાં રમાઈ રહી વર્લ્ડ ચેમ્પિયન્સશિપ ઓફ લેજન્ડ્સ (WCL) 2025 એ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ લીગમાં 6 દેશોના લેજન્ડ ખેલાડીઓ રમ રહ્યા છે, જેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઇ ચૂક્યા છે. 31 જુલાઈએ આ લીગના સેમિફાઇનલ મેચ રમાવા છે. પ્રથમ સેમિફાઇનલ મેચ ઇન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સની ટીમો વચ્ચે નિર્ધારિત છે. પરંતુ આ મુકાબલાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

ભારત-પાકિસ્તાન મેચ ફરી રદ

ઈન્ડિયા ચેમ્પિયન્સે ગુરુવારે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. ભારતીય ખેલાડીઓએ તેમના કટ્ટર હરીફો સાથે કોઈપણ સ્પર્ધાત્મક મેચમાં ભાગ ન લેવાની નીતિ જાળવી રાખી છે. આ નિર્ણય લીગ સ્ટેજ મેચ પછી લેવામાં આવ્યો છે, જ્યારે ભારતીય ખેલાડીઓ અને ટુર્નામેન્ટના મુખ્ય પ્રાયોજકે પાકિસ્તાન સામે રમવાનો વાંધો ઉઠાવ્યો હતો.

IND VS PAK

લીગ સ્ટેજમાં પણ મેચ નથી રમાઈ

આ લીગમાં આ પહેલી વખત નથી. પહેલા પણ લીગ સ્ટેજમાં ઇન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચે મેચ રમાવવાનું હતું, પરંતુ ત્યારે પણ ભારતીય ખેલાડીઓએ મેચ ન રમવાનો નિર્ણય લીધો હતો અને બંને ટીમો વચ્ચે પોઈન્ટ્સ વહેંચાયા હતા. આ વખતે નોકઆઉટ મેચ છે અને ફાઈનલ ટિકિટ માટે દાવ લગાવ્યો છે. તેથી કઈ ટીમ ફાઈનલમાં જશે તે મોટો પ્રશ્ન છે. અથવા તો ભારતીય ટીમનો સેમિફાઇનલ અન્ય કોઈ ટીમ સાથે યોજી શકાય છે.

હકીકતમાં, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બાદથી બંને દેશોના સંબંધો વધુ તંગ થયા છે, જેના અસર રમતગમત પર પણ પડતી નજરે પડી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને પાકિસ્તાન સામેની સેમિફાઇનલ મેચ રમવાનો ઇનકાર કરી દીધો હતો.

IND VS PAK

રોમાંચક મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

મંગળવારે ઈન્ડિયા ચેમ્પિયન્સે પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સને માત્ર ૧૩.૨ ઓવરમાં હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ સિઝનમાં ભારતીય ચેમ્પિયન્સ માટે પણ આ પહેલી જીત હતી, જેનાથી તેમને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં મદદ મળી. આ પહેલા, ઈન્ડિયા ચેમ્પિયન્સને દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Continue Reading

Trending