CRICKET
ICC ODI: વન ટૂર્નામેન્ટ્સના ફાઇનલમાં ભારતનો ઇતિહાસ: કેટલા વખત ચેમ્પિયન અને કેટલી વખત નિષ્ફળ?

ICC ODI: વન ટૂર્નામેન્ટ્સના ફાઇનલમાં ભારતનો ઇતિહાસ: કેટલા વખત ચેમ્પિયન અને કેટલી વખત નિષ્ફળ?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નો ફાઇનલ ટૂર્નામેન્ટ હવે નજીક આવી રહ્યો છે, જેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ આમને સામે ટકરાશે. ફાઇનલ મુકાબલાને લઈ ફેન્સમાં ભારે ઉત્સાહ છે, પણ શું તમે જાણો છો કે અત્યાર સુધી ICC વનડે ટૂર્નામેન્ટ્સના ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો પરફોર્મન્સ કેવો રહ્યો છે? ચાલો, એક નજર કરીએ ભારતના અત્યાર સુધીના ફાઇનલ મુકાબલાઓ પર.
1983 વર્લ્ડ કપ: ભારત પહેલીવાર ચેમ્પિયન બન્યું
ભારત પ્રથમ વખત 1983ના વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચ્યું. કપિલ દેવની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે વેસ્ટઈન્ડિઝને 43 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો અને પહેલીવાર વર્લ્ડ કપ જીતીને ચેમ્પિયન બની.
2000 ચેમ્પિયન્સ ટ્રોફી: 17 વર્ષ પછી ફાઇનલ, પણ હાર
1983 પછી ભારતને ICC ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચવા માટે 17 વર્ષનો લાંબો સમય લાગ્યો. 2000ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ફાઇનલમાં પહોંચ્યું, પણ ન્યૂઝીલેન્ડે હરાવ્યું.
2002 ચેમ્પિયન્સ ટ્રોફી: વરસાદથી ખોરવાયેલ ફાઇનલ
2002માં, સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ફરી એકવાર ફાઇનલમાં પહોંચી. શ્રીલંકા સામેની આ મેચ વરસાદના કારણે રદ્દ થઈ, અને બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી.
2003 વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયા સામે ભારે હાર
2003 વર્લ્ડ કપમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલ સુધી પહોંચ્યું. જો કે, ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ 125 રનથી હાર આપી ભારતના સપનાને ચકનાચૂર કરી દીધું.
2011 વર્લ્ડ કપ: 28 વર્ષ પછી ફરી ચેમ્પિયન
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારત 2011 વર્લ્ડ કપના ફાઇનલમાં શ્રીલંકા સામે ટકરાયું અને 6 વિકેટે જીત મેળવી 28 વર્ષ બાદ ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું.
2013 ચેમ્પિયન્સ ટ્રોફી: ઈંગ્લેન્ડ સામે જીત
2013માં ભારત ફરી ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં પહોંચી ગયું. ઈંગ્લેન્ડ સામેના રોમાંચક મુકાબલામાં 5 રનથી જીત મેળવી ભારતે ટાઈટલ પોતાના નામે કર્યું.
2017 ચેમ્પિયન્સ ટ્રોફી: પાકિસ્તાન સામે કરાર હાર
2017ના ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન આમને સામે હતા, પણ ભારતને 180 રનના મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો.
2023 વર્લ્ડ કપ: ખિતાબથી એક કદમ દૂર
2023 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં હતી અને ફાઇનલ સુધી પહોંચી હતી, પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ટ્રોફી જીતી લીધી.
હવે જોવાનું એ છે કે શું ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને એક વધુ ICC ટ્રોફી જીતશે?
CRICKET
IND vs ENG: લીડ્સ ટેસ્ટ દરમિયાન ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીનું અવસાન

IND vs ENG ટેસ્ટ દરમિયાન એક દુઃખદ સમાચાર આવ્યા
IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી લીડ્સ ટેસ્ટ દરમિયાન એક દુઃખદ સમાચાર આવ્યા છે. ઇંગ્લેન્ડના એક દિગ્ગજ ખેલાડીનું અવસાન થયું છે. ઇજાઓને કારણે આ ખેલાડીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ટૂંકી રહી હતી, પરંતુ તેણે પોતાના માટે એક ખાસ ઓળખ બનાવી હતી.
IND vs ENG: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની પહેલી મેચ લીડ્સ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચ દરમિયાન ઇંગ્લેન્ડથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. ઇંગ્લેન્ડના એક દિગ્ગજ ખેલાડીનું અવસાન થયું છે. આ ખેલાડીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ટૂંકી હતી, પરંતુ આ ખેલાડીએ ઘરેલુ ક્રિકેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.
CRICKET
Sourav Ganguly સાથે 3 મહિના સુધી ન બોલ્યા આ ભારતીય દિગ્ગજ

Sourav Ganguly એ તાજેતરમાં VVS લક્ષ્મણ વિશે એક મોટો ખુલાસો કર્યો
Sourav Ganguly: ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ તાજેતરમાં VVS લક્ષ્મણ વિશે એક મોટો ખુલાસો કર્યો છે. સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે લક્ષ્મણને 2003 ના ODI વર્લ્ડ કપ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો ન હતો અને તેથી જ તેણે 3 મહિના સુધી ભૂતપૂર્વ કેપ્ટન સાથે વાત ન કરી.
Sourav Ganguly: ટીમ ઈન્ડિયાએ ICC ODI વર્લ્ડ કપ 2003 ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયામાં ઘણા મજબૂત ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, એક ખેલાડી એવો પણ હતો જે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માંગતો હતો પરંતુ સૌરવ ગાંગુલીએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું.
આ ખેલાડીનું નામ VVS લક્ષ્મણ છે. લક્ષ્મણની જગ્યાએ ગાંગુલીએ દિનેશ મોંગિયાને ટીમમાં સ્થાન આપ્યું છે. તાજેતરમાં, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે.
સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો
સૌરવ ગાંગુલીએ PTI સાથે વાત કરતાં જણાવ્યું: “એવું ઘણાં વખત થયું છે જ્યારે અમે અમુક ખેલાડીઓને આરામ આપ્યો હોય અને તેઓ આ નિર્ણયથી ખુશ ના રહ્યા હોય. લક્ષ્મણ વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થઈ ગયો હતો અને તેણે ત્રણ મહિના સુધી મારી સાથે વાત કરી નહોતી. પછી મેં પોતે જ તેને સંપર્ક કર્યો.
કોઈ પણ ખેલાડી ત્યારે ખુબ જ દુઃખી થાય છે જ્યારે તેને વર્લ્ડ કપ જેવી મોટી સ્પર્ધાની ટીમમાં સ્થાન ન મળે — ખાસ કરીને જ્યારે તમે વી.વી.એસ. લક્ષ્મણ જેવા ખેલાડી હોવ. પણ વર્લ્ડ કપ પૂરો થયા બાદ તે ખૂબ ખુશ હતો કે અમારી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.”
વર્લ્ડ કપ પહેલા લક્ષ્મણનું પ્રદર્શન વનડે ફોર્મેટમાં ખાસ સારું રહ્યું નહોતું. તેમણે 27.55ના સરેરાશથી કુલ 1240 રન્સ બનાવ્યા હતા. એ જ મુખ્ય કારણ હતું કે તેમને ટીમમાં સ્થાન ન મળ્યું અને તેમની જગ્યાએ દિવસ મોંગિયાને 2003ના વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો. જોકે, વર્લ્ડ કપ પૂરો થયા બાદ લક્ષ્મણે વનડે ટીમમાં ધમાકેદાર વાપસી કરી હતી.
વીવીએસ લક્ષ્મણની સૌરવ ગાંગુલી દ્વારા પ્રસંસા
વીવીએસ લક્ષ્મણ વિશે ભારતના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ આગળ કહ્યું: “જ્યારે અમે ફરીથી કમબૅક કર્યું, ત્યારે લક્ષ્મણે પણ વનડે ટીમમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. તેણે પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા સામે શાનદાર સિરીઝ રમી હતી. અમે પહેલી વાર પાકિસ્તાનમાં વિજય હાંસલ કર્યો હતો અને તેમાં લક્ષ્મણનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું હતું.”
લક્ષ્મણે કુલ 86 વનડે મેચોમાં 30.76ના સરેરાશથી 2338 રન બનાવ્યા હતા. વનડે ફોર્મેટમાં તેમના નામે 6 સદી અને 10 અર્ધસદી નોંધાયેલી છે.
CRICKET
Rishabh Pant નું ખાસ કમ્પ્યુટર – જેને ચલાવવું માત્ર પંતને જ આવે!”

Rishabh Pant: રવિ શાસ્ત્રીએ પંત વિશે પોતાનું નિવેદન આપ્યું
Rishabh Pant: ઋષભ પંત પાસે પોતાનું કોમ્પ્યુટર છે, જેને ફક્ત તે જ ચલાવી શકે છે. ભારતીય ક્રિકેટ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેણે લીડ્સ ટેસ્ટમાં તેની ઈનિંગ જોયા પછી આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
Rishabh Pant : શું તમે પહેલા ક્યારેય ઋષભ પંતના કોમ્પ્યુટર વિશે સાંભળ્યું છે? ટીમ ઈન્ડિયાના દિગ્ગજ કોચ રવિ શાસ્ત્રીએ આ વાતનો ખુલાસો કર્યો છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચે કહ્યું કે પંત પાસે પોતાનું કોમ્પ્યુટર છે જે ફક્ત તે જ ચલાવી શકે છે. તો શું ઋષભ પંત પાસે ખરેખર પોતાનું કોમ્પ્યુટર છે? જવાબ ના છે. તો પછી શાસ્ત્રીએ આવું કેમ કહ્યું? તેમનો કહેવાનો મતલબ પંતની રમત, તેમની માનસિક સમજણ સાથે સંબંધિત છે. તેમણે લીડ્સ ટેસ્ટની પહેલી ઈનિંગમાં તેમની રમત જોયા પછી પંત વિશે પોતાનું નિવેદન આપ્યું હતું.
પંતે હેડિંગ્લી ના ફેન્સને બનાવી દીધા દીવાના
લીડ્સ ટેસ્ટના બીજા દિવસે પંતે પોતાના ઓળખાતા અંદાજમાં બેટિંગ કરી અને હેડિંગ્લી સ્ટેડિયમના દર્શકોને ખુશ કરી દીધા. તેમણે માત્ર 178 બોલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 134 રનની શાનદાર ઇનિંગ રમી. પંતની યાદગાર ઇનિંગમાં કલાત્મકતા અને પાગલપંતી બંને જ જોવા મળ્યા. તેમણે ફક્ત બેટથી નહીં, પણ પોતાના હાવભાવથી પણ દર્શકોના રોમાંચમાં વધારો કર્યો.
પંતનો પોતાનો કમ્પ્યુટર – રવિ શાસ્ત્રી
રવિ શાસ્ત્રીએ સ્કાય સ્પોર્ટ્સ સાથે વાત કરતી વખતે કહ્યું કે પંત આંકડાઓના રમતમાં ખુબસૂરતીથી રમે છે. તે પોતાના રીતે રમે છે અને ઝડપથી પોતાના રમતમાં ફેરફાર લાવવાની ક્ષમતા ધરાવે છે. તેઓએ આગળ કહ્યું કે તેના પાસે પોતાનું એક કમ્પ્યુટર છે – અને માત્ર પંતને જ ખબર છે કે એ કેમ કામ કરે છે. શાસ્ત્રીના મતે, એ જ પંતની બેટિંગની ખાસિયત (USP) છે. એથી બોલરો દબાણમાં આવે છે અને પછી પંત તેમ પર હાવી થઈ જાય છે. ત્યારબાદ દુનિયાને જોવા મળે છે એક મનોરંજક અને મેચ વિજયી ઋષભ પંત.
-
CRICKET7 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET7 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET8 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET8 months ago
IND vs AUS: રોહિત-વિરાટ કે પંત નહીં… પરંતુ આ ભારતીય બેટ્સમેન રિકી પોન્ટિંગનો ફેવરિટ
-
CRICKET7 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET8 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET7 months ago
Sanjay Bangar: સંજય બાંગરનો છોકરો બન્યો છોકરી, વીડિયોએ મચાવી દુનિયામાં હલચલ
-
CRICKET8 months ago
IPL 2025: પહેલીવાર હરાજીમાં સામેલ થશે ઇટાલિયન ખેલાડી,ટીમ બનાવી શકે છે નિશાન