Connect with us

CRICKET

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે કોણ રમશે – વરુણ ચક્રવર્તી કે હર્ષિત રાણા? 

Published

on

IND vs AU44

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે કોણ રમશે – વરુણ ચક્રવર્તી કે હર્ષિત રાણા?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ મંગળવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે જીત નોંધાવી હતી. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય પ્લેઇંગ ઈલેવનમાં Harshit Rana ની જગ્યાએ સ્પિનર વરુણ ચક્રવર્તીને સ્થાન આપવામાં આવ્યું હતું. હવે સવાલ એ છે કે ઓસ્ટ્રેલિયા સામે કોણ રમશે – હર્ષિત રાણા કે વરુણ ચક્રવર્તી?

IND vs AUS

શું Harshit Rana ની વાપસી થશે?

સેમીફાઈનલ માટે ભારતીય ટીમની બોલિંગને લઈને હજુ પણ અનિશ્ચિતતા છે. Harshit Rana ની પ્લેઇંગ ઈલેવનમાં વાપસી થશે કે નહીં તે અંગે સ્પષ્ટતા નથી. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો માને છે કે ભારતને હર્ષિત રાણા અને Varun Chakravarty બંનેને રમાડવા જોઈએ, જ્યારે મોહમ્મદ શમીને આરામ આપવામાં આવી શકે. પરંતુ અંતિમ નિર્ણય કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ લેશે. બેટિંગ ઓર્ડરમાં કોઈ મોટા ફેરફારની સંભાવના ઓછી છે.

IND vs AUS11

ભારતની સંભાવિત પ્લેઇંગ ઈલેવન

ભારત માટે રોહિત શર્મા અને શુભમન ગિલ એકવાર ફરી ઓપનિંગ કરી શકે. ત્યારબાદ વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કે એલ રાહુલ, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ટીમનો ભાગ બનશે. બોલિંગ વિભાગમાં કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી સ્પિન ઓટેકની જવાબદારી સંભાળી શકે, જ્યારે હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમી પેસ બોલિંગનો ભાગ બની શકે.

IND vs AUS111

ભારતની સંભાવિત ટીમ:

  • રોહિત શર્મા (કપ્તાન)
  • શુભમન ગિલ
  • વિરાટ કોહલી
  • શ્રેયસ ઐયર
  • અક્ષર પટેલ
  • કે.એલ. રાહુલ (વિકેટકીપર)

IND vs AUS33

  • હાર્દિક પંડ્યા
  • રવિન્દ્ર જાડેજા
  • કુલદીપ યાદવ
  • વરુણ ચક્રવર્તી
  • મોહમ્મદ શમી

CRICKET

Asia Cup 2025: ભારતની જીત બાદ વિવાદ, રાશિદ લતીફ અને શોએબ અખ્તર ભડક્યા

Published

on

By

Asia Cup 2025: હાથ ન મિલાવવા બદલ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો ગુસ્સે થયા

રવિવારે એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું, પરંતુ મેચ પછીનો માહોલ વધુ ગરમાયો હતો. હકીકતમાં, ટીમ ઈન્ડિયાએ જીત પછી મેદાન પર પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો ન હતો. ટોસ દરમિયાન પણ કેપ્ટન સૂર્યકુમાર યાદવે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. આ સમગ્ર ઘટનાએ ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીઓને ગુસ્સે થવાની તક આપી હતી.

રાશિદ લતીફની ધમકીઓ

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન રાશિદ લતીફે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું –

“પહેલાં પણ યુદ્ધો થયા છે, પરંતુ હાથ મિલાવવાની પરંપરા હંમેશા રહી છે. આને કલંક તરીકે યાદ રાખવામાં આવશે. ભારતે યુદ્ધ લડવું જોઈતું હતું, પીછેહઠ કરવાની જરૂર નહોતી.”

લતીફે કહ્યું કે રમતગમતના નામે જે થયું તે યોગ્ય નથી. તેમણે આરોપ લગાવ્યો કે ભારત રાજકીય વાતાવરણનું બહાનું બનાવીને સત્ય છુપાવી રહ્યું છે.

શોએબ અખ્તરનો ગુસ્સો

ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પીટીવી સ્પોર્ટ્સ પર કહ્યું –

“મેચને રાજકીય ન બનાવો. ઘરોમાં પણ ઝઘડા થાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે જમીન પર હાથ મિલાવવાનું ટાળવું જોઈએ. ભારતે ઉદારતા બતાવવી જોઈતી હતી.”

જોકે, તેમણે ટીમ ઈન્ડિયાને શાનદાર જીત માટે અભિનંદન પણ આપ્યા.

સલમાન અલી આઘાનો વિરોધ

પાકિસ્તાની ખેલાડી સલમાન અલી આઘા ગુસ્સે થઈ ગયો અને મેચ પછીની પ્રેઝન્ટેશનમાં હાજરી આપી નહીં. તેમનું માનવું હતું કે ભારતીય ખેલાડીઓએ મેદાન પર તેમનું અપમાન કર્યું હતું.

મેચનું પરિણામ

પાકિસ્તાન ક્રિકેટ પિચ પર કંઈ કરી શક્યું નહીં. ભારતે આખી મેચમાં પ્રભુત્વ મેળવ્યું અને 7 વિકેટથી સરળ જીત નોંધાવી. આ જીત સાથે, ટીમ ઈન્ડિયા ગ્રુપ-એમાં ટોચ પર પહોંચી ગઈ છે.

ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો આગામી મુકાબલો ક્યારે છે?

ગ્રૂપ સ્ટેજથી ભારત અને પાકિસ્તાન સુપર-4માં પહોંચવાની શક્યતા લગભગ નિશ્ચિત છે. જો આવું થાય, તો બંને ટીમો 21 સપ્ટેમ્બર 2025 ના રોજ ફરી એકબીજાનો સામનો કરશે.

Continue Reading

CRICKET

IND vs PAK હેન્ડશેક વિવાદ: ભારતીય ટીમને દંડ થશે

Published

on

IND vs PAK હેન્ડશેક વિવાદ: શું ભારતીય ટીમ પર દંડ થઈ શકે?

એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ પછી “હાથ મિલાવવાનો નહીં” વિવાદ ગરમાયો છે. આ વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે મેચ બાદ હાથ મિલાવવાનો ઇનકાર કર્યો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આ મામલે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) સમક્ષ સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે.

PCBના જણાવ્યા મુજબ, ભારતીય ખેલાડીઓએ રમતની ભાવનાના વિરુદ્ધ વર્તન કર્યું છે. ટીમ મેનેજર નવીદ ચીમાએ જણાવ્યું કે તેમના ખેલાડીઓ હાથ મિલાવવા માંગતા હતા, પરંતુ ભારતીય ટીમ તરફથી સહકાર ન મળતા પાકિસ્તાનના કેપ્ટન સહિત તમામ ખેલાડીઓએ પુરસ્કાર વિતરણ સમારોહનો બહિષ્કાર કર્યો.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે એપ્રિલમાં પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો સંદેશ આપવાના હેતુથી ટીમે એ નિર્ણય લીધો હતો. તેમના અનુસાર, ‘આ નિર્ણય ખેલદિલી કરતાં વધુ એકતાનો પ્રતીક હતો.’ તદુપરાંત, તેમણે ભારતની આ વિજયને દેશની સશસ્ત્ર દળોને સમર્પિત કરી.

ટોસ દરમિયાન પણ બંને ટીમો વચ્ચે તણાવ જોવા મળ્યો હતો, જ્યાં પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ભારતીય કેપ્ટન સાથે હાથ ન મિલાવ્યાનું કહેવાયું. PCBનો દાવો છે કે આ MATCH REFEREE એન્ડી પાયક્રોફ્ટના સૂચન પર થયું.

હવે પ્રશ્ન ઊભો થાય છે કે શું એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ભારતીય ટીમ સામે કોઈ પગલાં લેવામાં આવી શકે?

હકીકતમાં, ક્રિકેટના નિયમો મુજબ ખેલાડીઓએ હાથ મિલાવવું ફરજિયાત નથી. આ એક રમતોની પરંપરા છે, જે ‘Spirit of the Game’ એટલે કે રમતની ભાવના તરીકે જાણીતી છે. તેમાં સંમતિ ન આપવી અયોગ્ય ગણાઈ શકે, પણ તે માટે દંડનો કોઈ સત્તાવાર કાયદો નથી.

નિષ્કર્ષ:

તેથી, નિયમોના અભાવે ભારતીય ટીમ સામે કોઈ સજા થવાની શક્યતા નથી. હાંલકે ACC કે ICC તરફથી ક્રિકેટની ભાવના અંગે ટિપ્પણીઓ આવી શકે છે, પરંતુ નિયમલંગનના આધારે દંડ નહીં થાય.

Continue Reading

CRICKET

એશિયા કપમાં અર્શદીપના ભાવિ પર પ્રશ્ન: શું તે ટી20 વર્લ્ડ કપમાં પણ બહાર રહેશે

Published

on

અર્શદીપ સિંહ એશિયા કપ 2025થી બહાર: ઈજા કે વ્યૂહાત્મક નિર્ણય.

અર્શદીપ સિંહ, જે T20 ફોર્મેટમાં ભારત માટે 99 વિકેટ લઈ ચૂક્યો છે, એશિયા કપ 2025માં UAE સામેની મેચ માટે પ્લેઈંગ 11નો ભાગ ન હતો. આ નિર્ણયને કારણે ઘણા પ્રશ્નો ઊભા થયા છે. લોકોમાં કૌતૂહલ છે કે શું અર્શદીપ ઈજાગ્રસ્ત છે? કે પછી આ નિર્ણય કોચ ગૌતમ ગંભીરની ‘8 બેટર’ રણનીતિનો ભાગ છે?

અર્શદીપે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ 31 જાન્યુઆરી 2025ના રોજ રમી હતી. ત્યારબાદ તેણે માત્ર દુલીપ ટ્રોફીમાં નોર્થ ઝોન માટે એક જ મેચ રમી હતી. UAE સામેની મેચ પહેલાં અર્શદીપ ICC એકેડેમીમાં ફિટનેસ કોચ એડ્રિયન લે રોક્સની દેખરેખમાં ફિટનેસ અને બેટિંગ પર કામ કરતો જોવા મળ્યો હતો. તેણે બોલિંગ કરતા વધુ સમય બેટિંગ અને સ્પ્રિન્ટ પર ફોકસ કર્યો. એટલે એ લાગે છે કે તે “રીટર્ન ટુ પ્લે” ડ્રીલ પર કામ કરી રહ્યો હતો.

જો તેને ગંભીર ઈજા હોત, તો ટીમના ફિઝિયો કમલેશ જૈન તેની સાથે રહેતો. જોકે, એવું બન્યું નહીં. એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે અર્શદીપ “પાવરહાઉસ” છે અને ફિટનેસ માટે ખૂબ પ્રતિબદ્ધ છે. તેણે એનસીએ ખાતે તાજેતરમાં બ્રોન્કો ટેસ્ટમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું.

ટીમ મેનેજમેન્ટ હાલમાં સ્પિનર heavy કોમ્બિનેશન પર ભાર મૂકી રહ્યું છે. ગૌતમ ગંભીરની થિયરી મુજબ, ટીમ 8 નંબર સુધી બેટિંગ લાઇન-અપ મજબૂત કરવા અને धीમી પિચોને ધ્યાનમાં રાખીને ત્રણથી ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરવાનું પસંદ કરે છે. UAE સામે વરુણ ચક્રવર્તીને અર્શદીપની જગ્યાએ રમાડવાનો નિર્ણય પણ એ જ વ્યૂહનો ભાગ લાગ્યો.

અક્ષર પટેલ, જાડેજા, કુલદીપ અને વરુણ – એશિયન પિચ પર આ સ્પિનરો ખૂબ અસરકારક સાબિત થયા છે. ખાસ કરીને વરુણ અને કુલદીપની ગૂંચવણ ભરેલી બોલિંગ સામે એશિયન બેટર્સ અચાનક આઉટ થવા લાગ્યા છે. સાથે અક્ષરનો બેટિંગ ફેક્ટર પણ મહત્વનો છે.

અર્શદીપ માટે હજુ પણ તકો થઈ શકે છે, ખાસ કરીને પાકિસ્તાન જેવી મોટી મેચોમાં, જ્યાં ટીમ મેચની ખાસ જરૂરિયાત પ્રમાણે વિકલ્પ પસંદ કરશે. જોકે, જો આ સ્પિનર રણનીતિ જારી રહે, તો T20 વર્લ્ડ કપ 2026માં અર્શદીપનું સ્થાન જોખમમાં પડી શકે છે.

Continue Reading

Trending