Connect with us

ASIA CUP 2023

Asia Cup – કપિલ દેવની ખાસ ક્લબમાં જોડાયા રવિન્દ્ર જાડેજા, બાંગ્લાદેશ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી

Published

on

Screenshot 2023 09 15 at 9.17.57 PM

એશિયા કપની છેલ્લી સુપર-4 મેચમાં ભારત અને બાંગ્લાદેશની ટીમો સામસામે આવી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે 50 ઓવરમાં આઠ વિકેટે 265 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ અને મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ સફળતા મળી હતી. જાડેજાએ શમીમ હુસૈનને આઉટ કરીને વિશેષ સિદ્ધિ મેળવી હતી.

જાડેજાએ વનડેમાં 200 વિકેટ પૂરી કરી હતી. વનડેમાં 200 વિકેટ પૂરી કરનાર તે સાતમો ભારતીય બોલર બન્યો. જાડેજાએ પોતાની 182મી વનડેમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે પોતાની કારકિર્દીમાં સાત વખત મેચમાં ચાર અને એક વખત પાંચ વિકેટ ઝડપી છે. જાડેજા પહેલા ભારતના ચાર ફાસ્ટ બોલર અને બે સ્પિનરો 200 વિકેટના આંકડાને સ્પર્શી ચૂક્યા છે. જેમાં પૂર્વ સ્પિનર ​​અનિલ કુંબલે, પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકર, ઝહીર ખાન, પૂર્વ ઓફ સ્પિનર ​​હરભજન સિંહ અને પૂર્વ કેપ્ટન કપિલ દેવનો સમાવેશ થાય છે.

જાડેજા 200 વિકેટ લેનાર પ્રથમ ડાબોડી ભારતીય સ્પિનર ​​છે.

જાડેજા વનડેમાં 200 વિકેટ લેનારો ભારતનો બીજો ઓલરાઉન્ડર બન્યો. આવું કરનાર કપિલ દેવ પ્રથમ ઓલરાઉન્ડર છે. તેણે 225 મેચમાં 253 વિકેટ લીધી હતી. તે 1983માં વર્લ્ડ કપ જીતનાર ટીમનો કેપ્ટન હતો. જાડેજાની વાત કરીએ તો તે 200 વિકેટ લેનારો ત્રીજો સ્પિનર ​​છે. અનિલ કુંબલે અને હરભજન સિંહ તેનાથી આગળ છે. ખાસ વાત એ છે કે જાડેજા ભારત માટે 200 ODI વિકેટ લેનાર પ્રથમ લેફ્ટ આર્મ સ્પિનર ​​છે.

ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલરો

ખેલાડી. મેચ વિકેટ

અનિલ કુંબલે 269 334
જવાગલ શ્રીનાથ 229 315
અજીત અગરકર 191 288
ઝહીર ખાન 194 269
હરભજન સિંહ 234 265
કપિલ દેવ 225 253
રવિન્દ્ર જાડેજા 182 200

એશિયા કપની ફાઇનલમાં ભારત

ભારતીય ટીમ એશિયા કપની ફાઇનલમાં પહોંચી ચૂકી છે. તેણે સુપર-4માં પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવ્યું હતું. તે પહેલા ગ્રુપ રાઉન્ડમાં પાકિસ્તાન સામેની મેચ રદ્દ કરવામાં આવી હતી અને ટીમ ઈન્ડિયાએ નેપાળ સામે ડકવર્થ લુઈસ નિયમથી જીત મેળવી હતી. ભારતીય ટીમ 10મી વખત ફાઈનલ રમશે. તેનો મુકાબલો શ્રીલંકા સાથે થશે. લંકન ટીમની આ 12મી ફાઈનલ હશે. ભારતના નામે સૌથી વધુ સાત ટાઇટલ છે. આ સાથે જ શ્રીલંકા છ વખત ચેમ્પિયન બન્યું છે. ભારતીય ટીમ અત્યાર સુધી માત્ર ત્રણ વખત એશિયા કપ ફાઇનલમાં હારી છે અને શ્રીલંકાએ ત્રણેય વખત તેને હરાવ્યું છે.

Continue Reading

ASIA CUP 2023

WPL 2026 પ્લેઓફ: દિલ્હી-મુંબઈ વચ્ચે નેટ રન રેટની લડાઈ, કોણ મારશે બાજી?

Published

on

wpl 1 2

WPL 2026: પ્લેઓફનું ગણિત અને ટીમોની સ્થિતિ ગુજરાત જાયન્ટ્સ જીતશે તો ક્વોલિફાય, હારશે તો નસીબ પર રાખવો પડશે આધાર

હાલના પોઈન્ટ ટેબલ મુજબ, RCB 12 પોઈન્ટ સાથે ફાઇનલમાં છે. બાકીની ચાર ટીમો માટે પ્લેઓફના દરવાજા હજુ પણ ખુલ્લા છે, પરંતુ રસ્તો ઘણો કાંટાળો છે.
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026 હવે તેના અંતિમ અને સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ટેબલમાં ટોચનું સ્થાન મેળવીને સીધી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે બાકી બચેલા બે પ્લેઓફ (એલિમિનેટર) સ્પોટ માટે મુંબઈ ઈન્ડિયન્સ (MI), દિલ્હી કેપિટલ્સ (DC), ગુજરાત જાયન્ટ્સ (GG) અને યુપી વોરિયર્સ (UPW) વચ્ચે જોરદાર જંગ જામ્યો છે.

wpl 2 2

1. ગુજરાત જાયન્ટ્સ (GG): સૌથી મજબૂત દાવેદાર

ગુજરાત જાયન્ટ્સ હાલમાં 8 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. તેમની પાસે પ્લેઓફમાં પહોંચવાની સૌથી શ્રેષ્ઠ તક છે.

  • કેવી રીતે ક્વોલિફાય થશે?: ગુજરાતે તેની છેલ્લી લીગ મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવાની છે. જો ગુજરાત આ મેચ જીતી જાય, તો તેઓ 10 પોઈન્ટ સાથે સીધા જ પ્લેઓફમાં પહોંચી જશે.

  • જો હારી જાય તો?: જો ગુજરાત હારી જાય, તો પણ તેઓ બહાર નહીં થાય. પરંતુ તેમને આશા રાખવી પડશે કે યુપી વોરિયર્સ તેમની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવી દે, જેથી રન રેટના આધારે ગુજરાત આગળ વધી શકે.

2. મુંબઈ ઈન્ડિયન્સ (MI): કરો યા મરોની સ્થિતિ

ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ માટે હવે દરેક મેચ ફાઈનલ જેવી છે. અત્યારે મુંબઈ 6 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

  • કેવી રીતે ક્વોલિફાય થશે?: મુંબઈ માટે સમીકરણ સ્પષ્ટ છે – ગુજરાત જાયન્ટ્સ સામેની છેલ્લી મેચ ગમે તે ભોગે જીતવી પડશે. જો તેઓ જીતશે, તો તેમના 8 પોઈન્ટ થશે અને પોઝિટિવ નેટ રન રેટ (+0.146) હોવાને કારણે તેઓ પ્લેઓફની રેસમાં આગળ નીકળી જશે.

  • જો હારી જાય તો?: જો મુંબઈ ગુજરાત સામે હારી જાય, તો તેઓ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ શકે છે, કારણ કે દિલ્હી પણ 6 પોઈન્ટ સાથે તેમની પાછળ જ છે.

3. દિલ્હી કેપિટલ્સ (DC): નસીબ અને રન રેટનો ખેલ

દિલ્હી કેપિટલ્સ પાસે અત્યારે 6 પોઈન્ટ છે અને તેમની એક મેચ યુપી વોરિયર્સ સામે બાકી છે.

  • કેવી રીતે ક્વોલિફાય થશે?: દિલ્હીએ યુપી વોરિયર્સને મોટા અંતરથી હરાવવું પડશે જેથી તેમનો રન રેટ સુધરે. સાથે જ તેમને પ્રાર્થના કરવી પડશે કે મુંબઈ ઈન્ડિયન્સ તેમની મેચ હારી જાય. જો મુંબઈ અને દિલ્હી બંને પોતાની મેચો જીતે, તો નિર્ણય નેટ રન રેટ (NRR) પર આવશે.

  • ચોથું સ્થાન જોખમી: જો દિલ્હી હારે છે, તો તેમની સફર અહીં જ પૂરી થઈ જશે.

4. યુપી વોરિયર્સ (UPW): આશા કિરણ હજુ જીવંત

યુપીની ટીમ હાલમાં 4 પોઈન્ટ સાથે ટેબલમાં સૌથી નીચે છે, પરંતુ ગણિત મુજબ તેઓ હજુ પણ રેસમાં છે.

  • કેવી રીતે ક્વોલિફાય થશે?: યુપીએ દિલ્હી કેપિટલ્સને ખૂબ મોટા અંતરથી હરાવવું પડશે જેથી તેમના 6 પોઈન્ટ થાય અને રન રેટ દિલ્હી અને મુંબઈ કરતા સારો થઈ જાય.

  • બીજા પર નિર્ભરતા: યુપી માટે માત્ર પોતાની જીત પૂરતી નથી. તેમણે આશા રાખવી પડશે કે મુંબઈ અને દિલ્હી બંને પોતાની મેચો હારે, જે હાલમાં ઘણું મુશ્કેલ જણાય છે.

પોઈન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ (30 જાન્યુઆરી, 2026)

ટીમ મેચ જીત હાર પોઈન્ટ નેટ રન રેટ (NRR)
RCB (Q) 8 6 2 12 +1.247
Gujarat Giants 7 4 3 8 -0.271
Mumbai Indians 7 3 4 6 +0.146
Delhi Capitals 7 3 4 6 -0.164
UP Warriorz 7 2 5 4 -1.146

 

 wpl 3 1

WPL 2026  ના નિયમ મુજબ, જે ટીમ ટેબલમાં નંબર 1 પર રહેશે તે સીધી ફાઇનલમાં જશે. બીજા અને ત્રીજા નંબરની ટીમો વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. જે ટીમ એલિમિનેટર જીતશે, તે 5 ફેબ્રુઆરીએ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં RCB સામે ટાઈટલ માટે ટકરાશે.

આગામી બે દિવસ WPL ચાહકો માટે રોમાંચથી ભરપૂર રહેવાના છે. શું મુંબઈ ફરી એકવાર ચમત્કાર કરશે કે ગુજરાત જાયન્ટ્સ પોતાની પકડ મજબૂત રાખશે? તે જોવું રસપ્રદ રહેશે.

Continue Reading

ASIA CUP 2023

Most Consecutive Toss Loss: શુભમન ગિલે 21મી સદીનો સૌથી ખરાબ રેકોર્ડ નોંધાવ્યો

Published

on

Most Consecutive Toss Loss

Most Consecutive Toss Loss: શુભમન ગિલનો શંકાસ્પદ રેકોર્ડ, કોહલીની બરાબરી

Most Consecutive Toss Loss: ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પાંચેય ટોસ હાર્યા છે. તેમના નામે 21મી સદીનો એક શરમજનક રેકોર્ડ ઉમેરાયો છે.

Most Consecutive Toss Loss: ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઇંગ્લેન્ડ સામેની સિરીઝના તમામ પાંચ ટોસ હારી ગયા છે. પાંચમો ટેસ્ટ પણ ઇંગ્લેન્ડે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલું મામલો નથી કે જ્યારે કોઈ ટીમે પાંચ મેચોની સિરીઝમાં બધા ટોસ ગુમાવ્યા હોય.

આ 14મો મોકો છે જ્યારે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાં કોઈ ટીમે દરેક ટોસ હાર્યા છે. 21મી સદીમાં આવું પહેલીવાર 2018માં ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બન્યું હતું. ત્યારે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ભારત સામે તમામ ટોસ જીત્યા હતા.

Most Consecutive Toss Loss

21મી સદીમાં માત્ર બીજી વાર

21મી સદીમાં આ માત્ર બીજી વખત બન્યું છે કે જ્યારે કોઈ કેપ્ટને પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાં તમામ ટોસ હાર્યા હોય. આ સદીમાં આવું પ્રથમ વખત વિરાટ કોહલી સાથે થયું હતું, જેઓ 2018માં ટીમ ઈન્ડિયા સાથે ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન તમામ 5 ટોસ હાર્યા હતા.

હવે શુભમન ગિલ 21મી સદીમાં આવું કરનાર બીજા કેપ્ટન બની ગયા છે. તમને યાદ હોઈ તો તે સમયે ઈંગ્લેન્ડે આ ટેસ્ટ સિરીઝ 4-1થી જીતી હતી. જો હાલની સિરીઝની વાત કરીએ તો 4 મેચ બાદ ઈંગ્લેન્ડ 2-1થી આગળ છે.

ભારતનો ટોસ હારવાનો સિલસિલો ચાલુ રહ્યો

ભારતીય ટીમે પુરુષોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત 15મી વખત ટોસ હારી છે, જે પોતાનામાં એક વિશ્વ રેકોર્ડ છે. ટીમ ઈન્ડિયાનો ટોસ હારવાનો સિલસિલો 31 જાન્યુઆરી, 2025 થી ચાલુ છે, જ્યારે સૂર્યકુમાર યાદવે ઈંગ્લેન્ડ સામે ચોથી T20 મેચમાં કેપ્ટન તરીકે ટોસ હાર્યો હતો.

તે પછી ભારતીય ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય મેચોમાં એક પણ ટોસ જીતી શકી નથી. ભારત પહેલા સૌથી વધુ ટોસ હારવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના નામે હતો, જેણે 1999માં સતત 12 ટોસ હાર્યા હતા.

Most Consecutive Toss Loss

Continue Reading

ASIA CUP 2023

કેપ્ટન રોહિતે ખુલાસો કર્યો કે આ કારણોસર મેં ટ્રેનરના મેસેજ બાદ સિરાજને સ્પેલમાંથી હટાવી દીધો હતો

Published

on

rohit sharma

હકીકતમાં, રવિવારે પૂરા થયેલા એશિયા કપ 2023માં રવિવારની ટાઈટલ જીતે ટીમ રોહિતને વર્લ્ડ કપ 2023 પહેલા ખૂબ જ જરૂરી ટોનિક આપ્યું છે. અને તેનો ફાયદો આવતા મહિને શરૂ થવા જઈ રહેલી મેગા ઈવેન્ટમાં ચોક્કસપણે જોવા મળશે. અને કેપ્ટન રોહિત શર્મા આ વાત સારી રીતે સમજે છે. એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકાને 50 રનમાં આઉટ કર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ફાસ્ટ બોલરોનું આ પ્રકારનું પ્રદર્શન તેને ઘણો સંતોષ આપે છે. દેખીતી રીતે, તે ખાસ કરીને મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યા તરફ ઇશારો કરી રહ્યો છે, જેમણે છેલ્લી કેટલીક મેચોમાં ખૂબ અસરકારક પ્રદર્શન કર્યું છે. સિરાજે સાત ઓવરમાં 21 રન આપીને છ વિકેટ લીધી હતી.

રોહિતે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘મને ઝડપી બોલરોના આવા પ્રદર્શનથી ઘણો સંતોષ મળે છે. તમામ કેપ્ટનોને ઝડપી બોલરો પર ગર્વ છે અને હું તેનાથી અલગ નથી. અમારી પાસે શાનદાર ફાસ્ટ બોલર છે. તેણે કહ્યું, ‘દરેક વ્યક્તિ પાસે અલગ-અલગ કૌશલ્ય અને વિવિધતા હોય છે. એક ઝડપી બોલિંગ કરી શકે છે, એક સ્વિંગ કરી શકે છે અને બીજો ઉછાળી શકે છે. ટીમમાં આટલી વિવિધતા છે તે સારું લાગે છે.

સિરાજના વખાણ કરતા તેણે કહ્યું, ‘સ્લિપમાં ઉભા રહીને તેને બોલિંગ કરતા જોવો ખૂબ જ સારો લાગ્યો. તેણે સતત એક સ્પેલમાં સાત ઓવર ફેંકી અને મને ટ્રેનર તરફથી સંદેશ મળ્યો કે તેને હવે રોકો. તે બોલિંગ કરવા માટે આતુર હતો. ટ્રેલરે કહ્યું, ‘તેણે સાત ઓવર ફેંકી હતી જે પૂરતી હતી’

પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરાયેલા કુલદીપ યાદવની પ્રશંસા કરતા તેણે કહ્યું, ‘કુલદીપે દબાણમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે શ્રીલંકા સામેની સુપર ફોરની મેચમાં સારી બોલિંગ કરી હતી અને ઓછા સ્કોર હોવા છતાં અમે તે મેચ જીતી હતી. તેણે કહ્યું, ‘છેલ્લા બે વર્ષમાં તેનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તે ટીમને કોઈપણ પરિસ્થિતિમાંથી જીતવામાં મદદ કરી રહ્યો છે.’

Continue Reading

Trending